કોઈ ની ભૂલ થાય તો સાહેબ તક આપો તકલીફ નહીં..!
હાલ પૂછવાથી કોઈ સારું નથી થઈ જતું પણ.. એક આશા મળે છે કે દુનીયાની ભીડમાં પણ કોઈ આપણું છે
"ભૂલ" પીઠ જેવી છે... સાહેબ... બીજા ની દેખાઈ,આપણી નઈ...
માણસ હમેંશા વીચારે છે કે ભગવાન છે કે નહી ? પણ ક્યારેય એ નથી વીચારતો કે પોતે માણસ છે કે નહી ??
વાત ચાહે કોઈ પણ હોય સાહેબ એને ફેલાવનર હમેંશા આપણા જ હોય છે....
સાહેબ.. હારીને માણસ ક્યારેય નથી કંટાળતો, પણ કંટાળીને હારી જાય છે .
વીતેલા સમયને યાદ ન રાખો તો ચાલશે પણ તેમાંથી મળેલા અનુભવને કાયમ યાદ રાખજો
મન થી વાત કરવી અને કોઈનું મન રાખવા વાત કરવી એમાં ઘણો તફાવત છે.
હજારો સંબંધ રાખવા એ કાઈ મોટી વાત નથી સાહેબ..પરંતુ... નબળા સમય માં એ હજારો માંથી કોણ હાથ પકડે છે એ જરૃરી છે...
જેમને સબંધ માટે સમય નહોતો કાઢ્યો, આજે એમની પાસે સમય કાઢવા કોઈ સબંધ નથી.
આ જગત માં એવા પણ માણસો આવી જાય છે, જે વચન આપતા નથી પણ નીભાવી જાય છે
બીજા સાથે એવી જ ઉદારતા રાખો, જેવી ભગવાને તમારી સાથે રાખી છે