કહેતા નહી ભગવાન ને,
કે સમસ્યા વીકટ છે...
કહી દો સમસ્યાને કે
ભગવાન મારી નીકટ છે...
અંધારું જ જ્યાં આપણું
હોય ત્યાં પારકાનું
અજવાળું કામ ના આવે.
આ દુનીયા માં ભગવાન ને
યાદ કરવા વાળા કરતા,
સારા કર્મ કરવા વાળા
વધારે સુખી છે
વીચાર કેટલો આવે છે
એ જરૂરી નથી, પણ
વીચાર કેવો આવે છે
એ જરૂરી હોય છે...
અહંમ તો બધાને હોય છે,
પરંતુ નમે એજ છે
સબંધોની સાચી મહાનતા
શીખામણ માંથી રસ્તા
મળતા હશે પણ
દીશાઓ તો ભૂલો
કરવાથી જ મળે છે.
નસીબ હંમેશા સાહસી
લોકોની જ સહાય કરે છે.
મહાન બનવા માટે
પોતાના મગજ પર
કાબુ જરૂરી છે
રૂપ કે કુળ ગૌરવ
વધારતા નથી,
ઈમાનદારી જ માણસ
નું સાચું ગૌરવ છે...
ભૂલોથી અનુભવ વધે અને
અનુભવ વધવાથી ભૂલો ઘટે...
વધુ પડતી આશા ના રાખો,
કેમ કે એ વધુ દુઃખી કરે છે
નિષ્ફળતા મળે તો હિંમત
રાખજો, સફળતા મળે
તો વિનમ્રતા રાખજો..
હળવાશ થી કહેશો
તો કોઈની જોડે
કડવાશ નહી થાય..
ભૂલોથી અનુભવ વધે
અને અનુભવ વધવાથી
ભૂલો ઘટે...
આશા અને ભય એકબીજા
સાથે જોડાયેલા છે,
ભય વીનાની કોઈ આશા નથી
અને આશા વીનાનો
કોઈ ભય નથી...
જીવનમાં કોઈક કોઈક વાર
અંધારું પણ જરૂરી છે...
ખબર તો પડે કે આપડી જોડે
સાચા હીરા કયા છે...
નહીંતર તડકામાં કાચના ટુકડા
પણ હીરાની જેમ ચમકે છે
ઘમંડ કયારેય ના કરવો
પોતાના નસીબ પર
સાહેબ...
એક કાંકરી પણ મોઢામાં ગયેલ
કોળીયો બહાર કઢાવી શકે છે
અભીમાન કહે છે કે
કોઈ ની જરૂર નથી
પણ અનુભવ કહે છે
કે ધૂળની પણ જરૂર પડે
પારકાની સીડી ના બનો તો
ચાલનારના માર્ગમાં અડચણ
રૂપ તો ના જ બનશો
કોઈને ખરાબ ચીતરવા નહી
કારણ કે એમા કલર તો
આપણો જ વપરાય છે