મહાન બનવા માટે
પોતાના મગજ પર
કાબુ જરૂરી છે
વ્યક્તિ શું છે
એ મહત્વનું નથી
પણ એ વ્યક્તિમાં શું છે
એ બહુ મહત્વ નું છે…
અંધારું જ જ્યાં આપણું
હોય ત્યાં પારકાનું
અજવાળું કામ ના આવે.
જિંદગી ને સાહેબ
વાંસળી જેવી બનાવો
ભલે ને એમાં છેદ
ગમે તેટલા હોય પણ
અવાજ તો મધુરજ
નીકળવો જોઈએ
તમારી સાચી કિંમત
એમાં છે કે તમે શું છો,
એમાં નથી કે
તમારી પાસે શું છે.
આંબો નહી તો,
લીમડો – પીપળો વાવ,
કંઈ ના કર તો,
બાવળ ને જગ્યા આપ…
જે કહી દીઘું એ શબ્દો હતા
જે ન કહી શક્યા
એ લાગણી હતી
અને જે કહેવું છે છતા
પણ કહી નથી શકતા
એ મયાઁદા છે...!
જીવનમાં જ્યારે ખરાબ
તબક્કામાંથી પસાર થતા હોઈએ અને
વિચાર આવે કે ક્યાં છે ઇશ્વર
ત્યારે યાદ રાખવું કે
પરિક્ષા દરમ્યાન શિક્ષક હંમેશા
ચૂપ જ રહે છે.
જીવનમાં વખાણ
કરનાર લોકો કરતા
ભૂલ કાઢનાર ને
સિરિયલી લેવું...
કર્મ પાસે,
"ના કાગળ".... "ના કિતાબ"....
છતાં પણ એની પાસે
આખી દુનિયાનો હિસાબ.
ભૂલોથી અનુભવ વધે
અને અનુભવ વધવાથી
ભૂલો ઘટે...