જીવનમાં શ્વાસ અને વિશ્વાસ બંને ની સરખી જરુરિયાત છે, "શ્વાસ" ખતમ તો જિંદગી ખતમ, "વિશ્વાસ" ખતમ તો સંબંધ ખતમ..!
તમારી સાચી કિંમત એમાં છે કે તમે શું છો, એમાં નથી કે તમારી પાસે શું છે.
તમે કેટલા ખુશ છો એના કરતા વધુ મહત્વ એ વાતનું છે કે તમારા લીધે કેટલા લોકો ખુશ છે...
વ્યક્તિ શું છે એ મહત્વનું નથી પણ એ વ્યક્તિમાં શું છે એ બહુ મહત્વ નું છે…
તમે માળા બદલો, મંદિર બદલો કે ભગવાન બદલો... પણ સારા પરિણામ માટે એક વાર તમારા વિચાર બદલો.
આંબો નહી તો, લીમડો – પીપળો વાવ, કંઈ ના કર તો, બાવળ ને જગ્યા આપ…
તારે… A.C. માં છે રહેવું, વાણી વિલાસમાં છે રચવુ, ઉછેરવુ નથી તારે એકેય ઝાડવુ, તોયે…. ગાડી તારી રહે છાંયડે એ ઇચ્છવુ...?
ભૂલ દરેકથી થાય પણ એને સુધારવાની હોય, ગીનીસ બુક માં નોંધાવવાની ના હોય.
હંમેશા યાદ રાખજો ભુતકાળ માં આંટો મરાય… રહેવાય નહીં…
માણસ હંમેશા એ વિચારે છે કે ભગવાન છે કે નહિ…? પણ, એ કોઇ દિવસ નથી વિચારતો કે પોતે માણસ છે કે નહિ.?
હુ દુનિયા સામે લડી શકુ છુ પણ, મારા અંગત લોકો સામે લડી શક્તો નથી… કારણ કે…… એમની સાથે મારે “જીતવુ” નથી પણ “જીવવુ” છે.
સમય કયારેય ખરાબ હોતો નથી પણ આપણી ઈચ્છા સમય સાથે પૂરી ન થાય એટલે સમય ખરાબ લાગે છે.