જોયાનુ ઝેર, સાંભળ્યાની ગેરસમજ અને વાણીનું વિષ... જીવનમાં હમેશા વાવાઝોડુ લાવે છે.
કર્મ પાસે, "ના કાગળ".... "ના કિતાબ".... છતાં પણ એની પાસે આખી દુનિયાનો હિસાબ.
જીવનમાં વખાણ કરનાર લોકો કરતા ભૂલ કાઢનાર ને સિરિયલી લેવું...
ખરતા પાંદડાં એ દુનિયા નું સૌથી મોટું સત્ય સમજાવ્યું કે... બોજ બન્યા તો તમારા પોતાના જ તમને પાડી દેશે...
જરૂરી નથી કે સૌ કોઈ આપણને સમજી શકે, ત્રાજવું તો ફક્ત વજન માપી શકે છે ક્વોલિટી નહીં.
જીવનની સૌથી મોટી લડાઈ તો માણસ પોતાના વિચારો સાથે જ લડતો હોય છે "સાહેબ" બાકી સંજોગો સાથે તો સમાધાન જ કરવુ પડતુ હોય છે
ભાગ્યનો દરવાજો ખોલવા માટે માથા ના પછાડો, કર્મોનું તોફાન એવુ મચાવો કે દરવાજા આપોઆપ ખુલી જાય.
કહેવાય છે કે સમય સૌથી બળવાન છે પણ જે થય ગયું એને બદલવાની તાકાત તો સમય પાસે પણ નથી.
સમય માણસને સફળ નથી બનાવતો, પણ સમયનો યોગ્ય ઉપયોગ માણસને સફળ બનાવે છે..!!
ના જાણે કઈ ફરિયાદના અમે શિકાર થઈ ગયા જેટલું દિલ સાફ રાખ્યું એટલા ગુનેગાર થઈ ગયા...
તમારી ખુશી માં એ લોકો હાજર રહેશે જે તમને ગમે છે, પરંતુ તમારા દુઃખ માં એ હાજર રહેશે જેને તમે ગમો છો.
જે કહી દીઘું એ શબ્દો હતા જે ન કહી શક્યા એ લાગણી હતી અને જે કહેવું છે છતા પણ કહી નથી શકતા એ મયાઁદા છે...!