ના જાણે કઈ ફરિયાદના અમે શિકાર થઈ ગયા જેટલું દિલ સાફ રાખ્યું એટલા ગુનેગાર થઈ ગયા...
તમારી ખુશી માં એ લોકો હાજર રહેશે જે તમને ગમે છે, પરંતુ તમારા દુઃખ માં એ હાજર રહેશે જેને તમે ગમો છો.
જે કહી દીઘું એ શબ્દો હતા જે ન કહી શક્યા એ લાગણી હતી અને જે કહેવું છે છતા પણ કહી નથી શકતા એ મયાઁદા છે...!
જીવનમાં શ્વાસ અને વિશ્વાસ બંને ની સરખી જરુરિયાત છે, "શ્વાસ" ખતમ તો જિંદગી ખતમ, "વિશ્વાસ" ખતમ તો સંબંધ ખતમ..!
તમારી સાચી કિંમત એમાં છે કે તમે શું છો, એમાં નથી કે તમારી પાસે શું છે.
તમે કેટલા ખુશ છો એના કરતા વધુ મહત્વ એ વાતનું છે કે તમારા લીધે કેટલા લોકો ખુશ છે...
વ્યક્તિ શું છે એ મહત્વનું નથી પણ એ વ્યક્તિમાં શું છે એ બહુ મહત્વ નું છે…
તમે માળા બદલો, મંદિર બદલો કે ભગવાન બદલો... પણ સારા પરિણામ માટે એક વાર તમારા વિચાર બદલો.
આંબો નહી તો, લીમડો – પીપળો વાવ, કંઈ ના કર તો, બાવળ ને જગ્યા આપ…
તારે… A.C. માં છે રહેવું, વાણી વિલાસમાં છે રચવુ, ઉછેરવુ નથી તારે એકેય ઝાડવુ, તોયે…. ગાડી તારી રહે છાંયડે એ ઇચ્છવુ...?
ભૂલ દરેકથી થાય પણ એને સુધારવાની હોય, ગીનીસ બુક માં નોંધાવવાની ના હોય.
હંમેશા યાદ રાખજો ભુતકાળ માં આંટો મરાય… રહેવાય નહીં…